જેને દર્શને દુષ્કૃત ટળેજી, જેને સ્પર્શે મહાપાપ બળેજી ।
જેની કીર્તિસુણતાં કર્મ બળેજી, જેનું નામ લેતાં મહાસુખ મળેજી ।।૧।।
ઢાળ-
મળે સુખ મોટું ઘણું, જેહને સંબંધે જરુર । મંગળકારી મૂરતી, અમંગળકરે દૂર ।।ર।।
જેના દર્શનસારુ દેવતા, વળી ઈચ્છે છે રહી આકાશ । રાત દિવસ હૃદિયે રહી, નાથ નિરખવા આશ ।।૩।।
સદાય સુખી સુર રહે, ખાન પાનની નહીં ખોટ । પણ દીનબંધુના દર્શન વિના, માને અભાગી મોટ ।।૪।।
વળી કંઈક વસે છે વનમાં, તજી સર્વે સુખસમાજ । શીત ઉષ્ણ સહન કરે, તે હરી દર્શન કાજ ।।પ।।
એવું માહાત્મ્ય દર્શનનું, તેહ એક શ્રીહરીનું હોય । બીજાના દર્શનનું, માહાત્મ્ય ન જાણે કોય ।।૬।।
એવું દર્શન જેહને થયું, ગયું તેનું પ્રજળી પાપ । જીવનમુકત તેહ સહી, છતિ દેહે એહ છાપ ।।૭।।
બ્રહ્મમોહોલનું બારણું, મેલ્યું ઉઘાડી એહને કાજ । નિષ્કુલાનંદ નિર્ભય પદ, પામશે એ ભકતરાજ ।।૮।।કડવું ।।ર૯।।