જેનું નામ જપ્યે આવે અઘ અંતજી, સમરતાં સુખ મળે અનંતજી ।
પામે મોટપ જપતાં જંતજી, એમ સમઝીને સમરેછે સંતજી ।।૧।।
ઢાળ-
સંત માહાત્મ્યને સમઝી, નવ મૂકે નારાયણ નામ । શ્વાસો શ્વાસે તે સમરે, ઘણે હેતે ઘનશ્યામ ।।ર।।
ગજ ગુણિકા અજામિલ આદિ, ભજી નામ થયા ભવપાર । પતિતપાવન નામ હરિનું, એથી પામ્યા અનેક ઉદ્ધાર ।।૩।।
ધ્રુવ પ્રહ્લાદને દ્રૌપદી, થયાં નામ ભજીને નિઃશંક । પાણી ઉપર પાષાણ તર્યા, તેપણ નામને અંક ।।૪।।
મોટા મુનિ માળા લઈ, જપે છે નારાયણ નામ । રાત દિવસ રટણ કરતાં, પળ ન પામે વિરામ ।।પ।।
જોગી વસે જઈ વનમાં, ખાય ફળ ફુલ વન પાન । એમદમી નિજ દેહને, વળી ભજે છે ભગવાન ।।૬।।
મહામાલ માન્યો મને, નારાયણના નામમાંઈ । તેણે કરી એકતાર અંતરે, સમરેછે જો સડ્ડાઈ ।।૭।।
એવો મહિમા મૂર્તિ તણો, પ્રિછવ્યો બહુ પ્રકાર । નિષ્કુલાનંદ એ વારતા, નક્કી છે નિરધાર ।।૮।। કડવું ।।૩ર।।