એમ સમઝયા વિના જે અધુરાજી, પ્રાકૃત ગુણે કરી માને પૂરાજી ।

પરને પીડવા સુધા અતિ શૂરાજી, પળે પળે દલમાં તર્ક અતિ તુરાજી ।।૧।।

ઢાળ-

તુરા અતિ અંતરમાં, તેણે ગરીબની ગણતી નહિ । શિયાળ વેષ લઈ સિંહનો, બિવરાવે બીજાં કહિ ।।ર।।

પણ જંબુક મન નથી જાણતો, આતો બળ છે અજીનનું । તેણે કરીને થાય છે, અપમાન દુર્બળ દીનનું ।।૩।।

એમ ગુણ ગોવિંદના, જરાયેક પામે છે જન । માને હું મોટો થયો, સર્વે ગુણે સંપન્ન ।।૪।।

તેણે કરી તન મનમાં , ફોગટ રહે છે ફૂલ્ય । પણ તપાસતો નથી તેહને, જે ભારે આવી ગઈ ભૂલ્ય ।।પ।।

જોને પે’રી ઘરેણાં પરનાં, મને માનવી મોટાઈ કેમ । જયારે ઉતારી લેશે અંગથી, ત્યારે રહીશ તેમનો તેમ ।।૬।।

માટે મોટપ માનવી, મોટી મહાપ્રભુ માંઈ । જોઈ પોતાના જોરને, જન જોમ ન કરવું કાંઈ ।।૭।।

નિશ્ચય નથી નિપજતું, આપણાથી અણુંભાર । નિષ્કુલાનંદ એમ નરને, કરવો વારમવાર વિચાર ।।૮।।કડવું ।।૩૩।।