આપણા ગુણમાં અવિદ્યા રહીજી,અતિશય ઝીણી ઓળખાય નહિજી।
સ્વભાવ સરિખી રહી છે થઈજી, તેણે મુઝવ્યા મોટા મોટા કંઈજી ।।૧।।
ઢાળ-
મોટા મોટા કંઈ મુઝવ્યા, મનાવી ગુણનું માન । અંતરમાંઈ બેઠી અજા, તે જોરે કરે છે જયાન ।।ર।।
કવિમાં થઈ કવિરૂપે, ગાયકમાં ગાયક થઈ । પંડિતમાં પંડિતરૂપે, તેને કેણે કળી નઈ ।।૩।।
દીનમાં થઈ દીનરૂપે, થઈ દાતારમાંહિ દાતાર । જોગી જતિ તપસી સંન્યાસી, વર્ણાશ્રમરૂપે અપાર ।।૪।।
ભૂપમાં થઈ ભૂપરૂપે, ધનવાનમાં ધનવાન । ઉચ્ચ નીચ નરનારમાં, જયાં જેવું અભિમાન ।।પ।।
આપાપર ને ચર અચર, સૌને અંતરે વસી અજા । પર પોતાનાં પરઠી, કરે છે બેઠી કજા ।।૬।।
આવ્યો ગુણ જે આપમાં, તેનું બળ લઈ બોલે ઘણું । એમ અવિદ્યાયે ફેરવ્યું, શિશ તે સૌ જનતણું ।।૭।।
ભૂલ્યા દિશ ભગવાનની, લીધી આપણા ગુણની ઓટ । નિષ્કુલાનંદ એ નરને, ખરા ખરી ગઈ છે ખોટ ।।૮।। કડવું ।।૩પ।।