એહ અવિદ્યા લેવી ઓળખીજી, વણ સમઝે ન થવાય સુખીજી ।

જાણ્યા વિના જન થાય છે દુઃખીજી, શાંતિ ન વળે સમજયા ૫પખીજી ।।૧।।

ઢાળ-

સમઝયા વિના શાંતિ સહી, રહે અંતરે અતિ ઉદ્વેગ । પ્રિછવા ન દિયે પાધરૂં, ભીતરમાં માયાનો ભેગ ।।ર।।

દિયે ઉપદેશ દિવસ રજની, તું દેહ દેહછો તું દેહ । તેહ વિના રૂપ તાહરૂં, નથી બીજું કહું તેહ ।।૩।।

બાળ જોબન વળી વૃદ્ધ તું, તું છો શ્યામ ગૌર શરીર । રોગી અરોગી તું સુખી દુઃખી, કાયર તું શૂરવીર ।।૪।।

તું ઉત્તમ મધ્યમ તું, ડાહ્યો ભોળો તું દાસ અદાસ । એમ મનાવ્યું અંતરે, કરી હૈયામાંઈ વાસ ।।પ।।

અવિદ્યાયે એમ દૃઢાવ્યું, ઉરમાંઈ અનેક પ્રકાર । તેમજ માની તનમાં, સહુ વર્તે છે સંસાર ।।૬।।

પણ ઉંડું વિચારી અંતરે, કેણે ખરી ન કરી ખોળ । જેમ છે તેમ જાણ્યા વિના, સહુ કરે છે ડામાડોળ ।।૭।।

સાચી વાત નથી સૂઝતી,નથીકરતા તેનો તપાસ । નિષ્કુલાનંદ નિર્બળ થઈ, પડિયા માયાને પાશ।।૮।।કડવું ।।૩૬।।