કાજ કરવા સંતનાં ઘનશ્યામજી, આવો છો અવનિયે મુકી નિજ ધામજી ।
તેતો હરિજનનાં કરવા કામજી, તમ વિના ઠરવા નથી સંતને ઠામજી ।।૧।
ઢાળ-
ઠામ નથી બીજે ઠરવા, તમ વિના તમારા જનને । તેહ સારૂં અવનિયે આવો, નાથ ધરી નર તનને ।।ર।।
હાજર છો હરિજનના, કષ્ટ કાપવા કરૂણાનિધિ । નિમિષ એક નથી રે’તા ન્યારા, કરો છો રક્ષા બહુ વિધિ ।।૩।।
બાપ પાળે જેમ બાળને, ક્ષણુ ક્ષણુએ લિયે ખબર । તેહથકી અધિક હેતે, જન પાળો છો બહુ પેર ।।૪।।
સંતના શત્રુ સંહારવા, તતપર રો’છો તૈયાર । અંતર બારે અરિ ભક્તના, સદ્ય કરો છો સંહાર ।।પ।।
હરિજનને હંમેશ હજારૂં, વિઘન કરે છે વિબુધ । તેને અર્થે તૈયાર રાખ્યાં છે, ચાર કરે ચાર આયુધ ।।૬।।
ધન્ય ધન્ય સમર્થ ધણી, ધર્મનંદન ધર્મના પાળ । સધર્મીના સ્નેહી છો, છો અધર્મીના કાળ ।।૭।।
હેતુ છો હરિજનના, સદા સર્વદા સુંદર શ્યામ । નિષ્કુલાનંદના નાથજી, વાલમ મારા વિશ્રામ ।।૮।। કડવું ।।૪૧।।