જ્ઞાની તેહ જેને હરિની ગમજી, નથી જેને નાથની મૂર્તિ અગમજી

નખશિખા નીરખી કરી છે સુગમજી, ના’વે કોઈ એવા સંતની સમજી

સંત સમાન તે શું કહિયે, જેને અખંડ મૂર્તિ છે ઉર ।। જોઈ જોઈ જોયું જીવમાં, એની જોડ્યે ન જડ્યું જરૂર ।। ર ।।

કામદુઘા કહું શી કલ્પતરુ, કહું નવ નિધિ સિદ્ધિ સમિત ।। પારસ કહું કે ચિંતામણિ, વજ્રમણિ ઘણી કહું સિત ।। ૩ ।।

અર્કમણિ કે કહું ઇંદુમણિ, ઘણી ઉપમા દઉ અમૃતની ।। જે જે કહું તે જોખે ભર્યું, આપું ઉપમા કૈ પ્રતની ।। ૪ ।।

જેણે અંતરમાં અખંડ રાખ્યા, અલબેલોજી અવિનાશ ।। રાજી થઈને હરિ રહ્યા, દોષે રહિત દેખી નિજદાસ ।। પ ।।

જેમ પંચાનનીપય રે’વા પાત્ર, જોઈએ સોળવલું સુવર્ણ ।। એમ હરિને રે’વાતણું, શુદ્ધ જનનું અંતઃકર્ણ ।। ૬ ।।

જેમ જગજીવનના જળ જાણો, નથી રે’તું ખાંમા વિના ખમી ।। તેમ હરિજનનું અંતર, ગયું છે હરિને ગમી ।। ૭ ।।

જેમ સુગંધી રહી છે શ્રીખંડ માંય, રહ્યો ઇક્ષુ માંહિ જેમ રસ ।। તેમ હરિજનમાંહિ હરિ, હળી મળી રહ્યા એક રસ ।। ૮ ।।

જેમ ચમક ઉત્તર મુખનો, રહે ઉત્તર દિશ પર મુખ ।। તેમ હરિ હરિજન સામા રહે, સદાયે આપવા સુખ ।। ૯ ।।

એમ સાચા સંતની સનમુખ, સદાય રહે છે શ્રીહરિ ।। નિષ્કુળાનંદ કહે કાચા કોયે, ન હોય સુખિયા એ સુખે કરી ।। ૧૦ ।।