(રાગ:-ધોળ) ‘સંત વિના સાચી કોણ કહે’ એ ઢાળ.
સુખી કર્યા રે જન જગતમાં, પ્રભુ પ્રગટી આ વાર;
નિવાસી કયાર્ં બ્રહ્મમો’લના, અગણિત નર નાર. . .સુખી ।। ।।
જે સુખ અગમ અજ ઈશને, સુર સુરેશને સોય;
તે સુખ દીધું છે દાસને, જે સુખ ન પામે કોય. .સુખી ।। ર ।।
ધામી વિના રે એહ ધામનું કોણ સુખ દેનાર;
માટે આપે આવી આપિયું અખંડસુખ અપાર. . સુખી ।। ૩ ।।
એહ સુખથી જે સુખી થયા, રહ્યા દુઃખ તેથી દૂર;
નિષ્કુળાનંદ નિર્ભય થઈ; રહ્યા હરિને હજૂર. . સુખી ।। ૪ ।।