(રાગ:-ધોળ) ‘સંત વિના સાચી કોણ કહે’ એ ઢાળ.

સુખી કર્યા રે જન જગતમાં, પ્રભુ પ્રગટી આ વાર;

નિવાસી કયાર્ં બ્રહ્મમો’લના, અગણિત નર નાર. . .સુખી ।।  ।।

જે સુખ અગમ અજ ઈશને, સુર સુરેશને સોય;

તે સુખ દીધું છે દાસને, જે સુખ ન પામે કોય. .સુખી ।। ર ।।

ધામી વિના રે એહ ધામનું કોણ સુખ દેનાર;

માટે આપે આવી આપિયું અખંડસુખ અપાર. . સુખી ।। ૩ ।।

એહ સુખથી જે સુખી થયા, રહ્યા દુઃખ તેથી દૂર;

નિષ્કુળાનંદ નિર્ભય થઈ; રહ્યા હરિને હજૂર. . સુખી ।। ૪ ।।