રાગ: મલાર –
બાઈ પ્રીત કરતાં પ્રીતમશું, જયારે પીડાયે પંડ । ઓષડ એનું એકોઈ ન મળેરે, જો ભમિયે બ્રહ્માંડ; પ્રીત૦ ।।૧।।
બાઈ મીન જળે જયારે જળમાં, ત્યારે ઠરે કોણ ઠામે । ચકોરદુઃખી થયો ચંદ્રથીરે, ત્યારે કયાં સુખ પામે; પ્રીત૦ ।।૨।।
બાઈ ચકવોદુઃખ પામ્યો દિનેશથી, પિયૂષથી માનવી । કોણ ઊપાય હવે કીજિયેરે, ગજ જળિયો જાહ્નવી; પ્રીત૦ ।।૩।।
એમ નિષ્કુલાનંદના નાથથી, પીડા આપણે પામી । શું કરીયે હવે સજનીરે, આશા ઊગર્યાની વામી; પ્રીત૦ ।।૪।। પદ ।।૪।।

