રાગ સોરઠા –

ઊદ્ધવજી હવે ઊચ્ચરો, કરો વા’લાની વાત । જેરે કરો તે જીવાડજો, અમો છીએ અબળાની જાત; ઊદ્ધવજી૦ ।।૧।।

સહુ મળી અમે સુણવા, લેવા સુખ શરીર । ઊદ્ધવ અમે છીએ અધિરિયાં, તેને આપજો ધીર; ઊદ્ધવજી૦ ।।૨।।

એક વાતે શાન્તિ ઊપજે, એકે ઊઠેછે ઝાળ ।  વિવેકે કહેજો તે વીરા વળી, થઈ દિલનાદયાળ; ઊદ્ધવજી૦ ।।૩।।

વલવલુંછું અમે વનિતા, તેતો કૃષ્ણને કાજ ।  નિષ્કુલાનંદનો નાથજી, કયારે મળશે મહારાજ; ઊદ્ધવજી૦ ।।૪।। પદ ।।૭।।