વીરા નથી વિસરતી ઊદ્ધવ એહ વારતાજી, દિલડુંદાઝેછે એ સુખ સંભારતાંજી ।
વિસરતું નથી વળી અમને વિસારતાંજી, ચાલોને દેખાડીએ જયાં હરિ ગાયો ચારતાજી ।।૧।।
ઢાળ –
ગાયો ચારતા ગોવિંદ જિયાં, તિયાં ઊદ્ધવને તેડી ગયાં । વનિતા વળી ટોળે મળી, સર્વે સ્થળ વનનાંદેખાડિયાં ।।૨।।
ઈયાં એણે અઘાસુર માર્યો, ઈયાં બ્રહ્માજીએ વત્સ હરિયાં । ઈયાં બેસી અન્ન જમિયા, ઈયાં વત્સ બાળક બીજાં કરિયાં ।।૩।।
આ સ્થળે એણે ગાયો ચારી, આ સ્થળે પાયા એને નીર । આ સ્થળે એ સ્નાન કરતા, સુંદર શ્યામ સુધીર ।।૪।।
આ ઠામે એણે અમને રોકયાં, આ ઠામે મહી લઈ લુટિયાં । આ ઠામે એણે અંબર તાણ્યું, તેણે કરી માંટ મારાં ફુટિયાં ।।૫।।
ઈયાં એણે વેણ વગાડી, ઈયાં રમાડ્યાં એણે રાસ જો । ઈયાં તજી ભાગી ગયા ભૂધર, ત્યારે અમે થયાં ઊદાસજો ।।૬।।
પછી ઈયાં જોયાં એનાં પગલાં, તિયાં લાધી અમને એની ભાળ । જુવતી સહિત જાતા જાણ્યા, વળી વળગાડી તેને ડાળ ।।૭।।
ઈયાં વશ કીધા અમે, ઈયાં આવ્યા હતા અલબેલ । ઈયાં રાસ ફરી રચિયો, પછી રમાડિયાં રંગરેલ ।।૮।।
ઊદ્ધવને સર્વે સ્થળદેખાડતાં, અતિ આંખડિયે આંસુ ઝરે । ઊદ્ધવ અમે કેમ કરીએ, એમ કહી કહીને રુદન કરે ।।૯।।
એવાં સુખ નથીદીધાં એણે, જે વિસાર્યાં પણ વિસરે । નિષ્કુલાનંદના નાથ વિયોગે, પાપી પ્રાણ પણ નવ નિસરે ।।૧૦।। કડવું ।।૩૬।।