દોહા –
પવિત્ર છે સ્પર્શે કરી, આ પૃથવી સાક્ષાત ।।૧।।
જિયાં જિયાં અમે વિચર્યા, વળી રહ્યા જે જે ગામ । તે જરૂર જન જાણજો, સરવે થયાં છે સ્વધામ ।।૨।।
તિયાં પ્રાણી કોઈ તન તજે, જાણ્યા વિના એહ જાગ્ય । કહ્યાં ન જાય વળી કોઈથી, એવાં ઊઘડિયાં એનાં ભાગ્ય ।।૩।।
ચરણે અંકિત જે અવની, વળી પદની સ્પર્શેલ રજ । તે જોતાં ન જડે જાણજો, જેને ઈચ્છેછે ઈશ્વર અજ ।।૪।।
ચોપાઈ –
પદરજના સ્પર્શ પ્રતાપેરે, જન અભય થાય છે આપેરે । ભવભય હરણી એ રજરે, થાય નિર્ભય એમાં શું આશ્ચરજરે ।।૫।।
જન ભવનમાં જયાં જયાં ગયારે, તિયાં દિનરજની જે રહ્યારે । એહ ભૂમિકાનાં ભાગ્ય ભારીરે, થઈ ધામરૂપ સુખકારીરે ।।૬।।
એહ પૃથ્વી પર તજે પ્રાણરે, તેતો પામે પદ નિરવાણરે । વળી નદી નદ ને તલાવરે, સધુ કુંડ કુવા વળી વાવરે ।।૭।।
તિયાં જિયાં જિયાં અમે ના’યારે, સ્પરશ્યું પાણી જે અમારી કાયારે । તેહ સ્પર્શનું જેહ પાણીરે, જન ઊદ્ધારણ લિયો જાણીરે ।।૮।।
તેહ તટે તજે કોઈ તનરે, પામે અમૃત ધામે સદનરે । એમ કલ્યાણના જે ઊપાયરે, બહુ કર્યા છે આ જગમાંયરે ।।૯।।
બાગ બગીચા ને ફુલવાડીરે, વૃક્ષ વેલી વન વળી ઝાડીરે । એહ આદિ જાયગા અપારરે, જિયાં રહ્યા અમે કરી પ્યારરે ।।૧૦।।
એતો સ્થાનક છે તીર્થરૂપરે, અતિ પવિત્ર જાણો અનૂપરે । એહ સ્થાને મૂકે કોઈ દેહરે, પામે અક્ષર ધામને તેહરે ।।૧૧।।
એમ અનેક પ્રકારે આજરે, કર્યા ઊપાય કલ્યાણ કાજરે । સર્વે તીર્થનાં તીર્થ કહીએરે, જિયાં સંત અમે ના’યા છીએરે ।।૧૨।।
તિયાં જન કોઈ જઈ ના’શેરે, થઈ પાવન ધામમાં જાશેરે । એહ જળમાં જંતુ જે રે’છેરે, ધન્ય ભાગ્ય સંત તેનાં કે’છેરે ।।૧૩।।
એહ પર અંડજ ઊડી જાશેરે, તેહ પરમ પાવન થાશેરે । અવધિ આવ્યા સમે તન ત્યાગીરે, જાશે સ્વધામમાંઈ સુભાગીરે ।।૧૪।।
સર્વે ધામના ધામ એ થિયાંરે, રહ્યા સંત સહિત અમે જિયાંરે । બીજાં તીર્થ ધામ બહુ કા’વેરે, પણ અમે રહ્યા તે તુલ્ય નાવેરે ।।૧૫।।
કાંજે પામ્યા અમારો પ્રસંગરે, તેને તુલ્ય આવે કેમ ગંગરે । એને સ્પર્શ્યાતા વામન પાવેરે, તેતો હરિ અવતાર કા’વેરે ।।૧૬।।
પણ અવતારના જે અવતારીરે, વાત તેની તો જાણજો ન્યારીરે । જાણો પુરૂષોત્તમનો સ્પરશરે, તેતો સહુ થકી જો સરસરે ।।૧૭।।
સર્વે ધામના જે કોઈ ધામીરે, તેતો અમે નારાયણ સ્વામીરે । વાત આજની છે અતિ મોટીરે, જેથી જીવ તર્યા કોટિ કોટિરે ।।૧૮।।
ચરાચર સ્થાવર ને જંગમરે, તે સહુને થયું છે સુગમરે । સહુ ચાલ્યા જાયછે સ્વધામરે, નથી પડતું કોઈનું કામરે ।।૧૯।।
એમ વે’તિ કરીછે અમે વાટરે, બ્રહ્મમો’લમાં જાવાને માટરે । શ્રીમુખે કહે એમ શ્રીહરિરે, સહુ વાત માનજો એ ખરીરે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે ચતુશ્ચત્વારશઃ પ્રકારઃ ।।૪૪।।