એક વાર વડતાલમાં બે આચાર્ય ભેગા થયા, ત્યારે પુરુષોત્તમપણાનો વિવાદ થયો. ત્યારે સ્વામી કહેઃ ‘મેં કહ્યું જે, ખજાનો કેને દેખાડ્યો છે ? ઘણું બીજા સાથે હેત હોય તેને પણ દેખાડ્યો છે ? નથી દેખાડ્યો. અને અમને તો સ્વામિનારાયણે કાનમાં મંત્ર મૂકયો છે જે, ‘અમે તો સર્વોપરી ભગવાન છઈએ.’ માટે તેને બીજા અવતાર જેવા કેમ કહીએ ? પછી તો રાજી થઇને ઊઠી નીકળ્યા. ।।૩૬।।