સર્વોપરી પુરુષોત્તમપણું સમજવું. તે હમણાં અચિંત્યાનંદબ્રહ્મચારી પાસે અમે ગ્રંથ કરાવ્યો, તેમાં સંપૂર્ણ પુરુષોત્તમપણું નાખ્યું છે. અને એક જણે રામકથા વાંચી, તે શું સાત કાંડમાં કયાયં સ્વામિનારાયણનો મોવાળો પણ છે? એમાં શું વાંચવું? એનો તો સૌને નિશ્ચય છે જ, પણ આ પુરુષોત્તમનો જ કરવો એ વાત કઠણ છે. એકવાર સમૈયામાં ભગવદ્ગીતાની કથા કરી.તેની પણ રાતના બાર વાગે વાત કરી ને કહ્યું જે,‘એમાં શું વાંચે છે? એમાં મહારાજનું કાઇં આવે છે? એ તો શું કરીએ? સૌને એ વાતની તાણ, તે કરે છે.’ ।।૩૮।।