દૈવની માયાએ જુઓને મોહ પમાડ્યા છે જે, ગાડી,પુસ્તક, ચેલો ને હવેલી એને વિષે માલ મનાણો છે, પણ તેણે કરીને શું થાશે ? બંધન થાશે, માટે એમાં કાંઇ માલ નથી.
રાજ ભયો કહા કાજ સર્યો, મહારાજ ભયો કહા લાજ બઢાઇ
શાહ ભયો કહા બાત બઢી, પતસાહ ભયો કહા આન ફિરાઇ;
દેવ ભયો તોઉ કહાં ભયો, અહમેવ બઢ્યો તૃષ્ણા અધિકાઇ,
બ્રહ્મમનિ સત્સગં બિના સબ, ઓર ભયો તો કહા ભયો ભાઇ ?
ત્યારે શું ભરતજી રાજ મૂકીને મૃગલામાં બંધાણા એ કાંઇ સાધુનો માર્ગ છે ? અને આસન સારુ, પથારી સારુ, ચેલા સારુ, ગાડી સારુ ને એવાં તુચ્છ પદાર્થ સારુ કરીને મોટી ખોટ ખાવી નહિ, ને સર્વ દોષ રહિત થઇને રૂડાં સાધુને સેવી ને સાધુતા શીખવી, એમાં જ માલ છે, નીકર તો મોટપ ને માન સારુ કરીને ગાડી કે ઘોડું ન મળે કે દુ:ખી થવું પડે એમાં શું? એમ કહીને બોલ્યા જે: મોટા થાવાનું મનમાં રે, દિલમાં ઘણો ડોડ ;તેવા ગુણ નથી તનમાં રે, કાં કરે તું કોડ ?,ભૂંડા ઘાટ ઊઠે છે ભીંતરે રે, જે ન કહેવાય બા’ર, એહ વાતનો તારે અંતરે રે, નથી નર વિચાર.એવું છે; માટે જ્ઞાન શીખવું તેણે કરીને કોઇ વાતની અપેક્ષા ન રહે. જો જ્ઞાન ન હોય તો તો મૂર્ખાઇએ કરીને અસદ્ યુકિતઓ ઉઠાવે છે. તે એમ સૌ ગોપાળાનંદસ્વામી, કૃપાનંદસ્વામી એ આદિક મોટા મોટા સાધુ, પછી નિવૃત્તિ ન આવે તે સારુ સવારના પહોરમાં નાહ્યા વગર કામ ક્રોધાદિકને ખોદીને ગોષ્ઠી કરીએ. ત્યારે એક જણ કહે જે,‘જુઓને, મસાણિયા બેઠા છે.તે શું કરે છે ? ઝાંપડાને સંભારે છે ને શિક્ષાપત્રી તો પાળતા નથી. ને બ્રાહ્મે મુહૂર્તે શયનં વિહાય અને નાહ્યા-ધોયા વગર સવારના પહોરમાં લઇ બેઠા છે’ ત્યારે બીજા નવા જાણે જે,‘વાત ખરી છે, આજ્ઞા લોપતલ તો આ સર્વ છે.’ ને અમે સર્વે આત્મનિષ્ઠા ને ઉપાસનાની વાતો કરીએ તે તો સૂક્ષ્મ ભકિત છે, ને સ્થૂળ ભકિતમાં તો ગૌણતા આવે, તે સારુ બીજા કહેશે જે, ‘આ પત્રીલોપતલ છે’ ને શાસ્ત્રોને ખોટાં કરીને અવગુણ ઘાલે છે.’ ત્યારે જુઓને ! એ તે કેમ સમજવું ? જે, રાત લઇને ભગાય છે ! એવું હોય એ વાતનું એને કાંઇ નથી, એમ મૂર્ખને કાંઇ ગતિ નથી; પણ આપણે શું ભકિત નથી કરતા ? ને ખોટી વાર્તા કરીએ છઈએ ? માટે સો મૂર્ખનો ત્યાગ કરીને એક વિવેકીને ગ્રહણ કરવો.
ગિરિસે ગિરિયે ધાય, જઇ સમુદ્રમાં બૂડિયે,
મરીએ મહા વિખખાય, પણ મુરખ મિત્ર ન કીજિયે. ।।૪૩।।