અને કહ્યું કે,‘ચેતના મુખી તે સદા સુખી’ એવી રીતે કેટલાક કહીએ ? એ કહ્યાં તેથી ઘણાં ઝાડ હૈયામાં ઊગ્યાં હોય પછી શું ધ્યાન-ભજન થાય ? બીજાનું જોઇને બેસે પણ થાય નહિ. તે એક બાવો ગુલાબગર હતો, તે સૌનું જોઇને માથે ઓઢીને બેઠો, ત્યાં તો રૂપિયા, ઢોરાં ને ઉઘરાણી તે સ્ફૂર્યા ,એટલે આકળો થઇને ઊઠી ગયો ને કહે,‘ઊઠો ઊઠો, શું બેઠાછો ? આટલું આ કરવું છે તે કરીએ,’ એમ થાય છે માટે ટીખળ ઘાલવા નહિ. ।।૪૭।।