આ લોકનું હેત તો કેવું છે ? એમ કહીને એક પટેલનું દષ્ટાંત વિસ્તારીને કહ્યું જે, ‘એના કુટુંબને એના ઉપર મરે એવું હેત હતું, તોપણ સાધુના કહેવાથી માંદો પડ્યો, ને તેના ઉપરથી સાધુએ દૂધ ઉતાર્યું, તે કોઇએ ન પીધું; એમ સાધુએ દેખાડ્યું.અને -કાણે જાય તે અધિકું રડે, આંગણે જઇને ભૂસ પડે;તે સારું લાગે તે માટે, હેત હોય તો પડે નહિ વાટે ? એવાં ખોટા હેત છે. અને ગૃહસ્થનો છોકરો ન માને કે દુઃખિયો થાય, પણ તે તો સૌ સૌના ડહાપણ પ્રમાણે કરશે,માટે વૃદ્ધ થયા તેને તો ગામોગામ મંદિર કર્યા છે તેમાં બેસીને ભજન કરવું. ને બે ટાણાં જઇને રોટલા ખાઇ આવવું. તે મુકતાનંદસ્વામીએ કહ્યું છે તે કાંઈ ખોટુ નથી:
જૈસે બૂઢે બેલકું , ખેડુ ન દેવત ખાન ;
મુક્ત કહે યું વદ્ધૃ કો, સબ હિ કરત અપમાન.
જેને સુખે રહેવું હોય તેને તો મોર્યનું માન છે તે મૂકી દેવું, નીકર પૂજા થાય. તે ઉપર કહ્યું જે,‘ગુરુ-ચેલો, બાપ-દીકરો ને સાસુ-વહુ એમ રહેવું. ને ‘દાસના દુશ્મન હરિ કદી હોય નહિ, જેમ કરશે તેમ સુખ થાશે.’ કોણ જાણે આપણે વાસના હશે તેને ટાળવા એમ થાતું હશે તો ? એમ જાણવું ને સુખે રહેવું.’ ।।૫૦।।