અને બીજી વાત શી ? તો કહે જે, ભગવાન બહુ મોટાપ્રગટ થયા, તે બીજા અવતાર જેવા તો એના સાધુ ને સત્સંગીદ્વારે ચમત્કાર જણાવ્યા છે, ને પોતે જે નરનારાયણનું લખ્યુંછે, તે તો જેમ કોઇને અજાણે ગામ જાવું હોય તે ભોમિયો લે, તેમ પોતે કોઇવાર આવેલ નહિ ને એનો ભરતખંડ કહેવાય,માટે એને ભોમિયા લીધા છે. એ મનુષ્યપણાનો ભાવ છે એમજાણવું, એમ મહારાજે પણ કહ્યું છે. જે આ તો વાત બધી નવીનછે. સાધુ નવીન, નિયમ નવીન; તે મહારાજ કહે કે, ‘આનિયમ ને સાધુ એ બે એમ અક્ષરધામમાંથી લાવ્યા છઈએ.’।।૫૬।।