અને નિશ્ચય છે, પણ ઋષભેદવ નરકમાં પડ્યા રહ્યાં એવાચરિત્ર કરે, તો સંશય થાય. માટે યોગ્ય-અયોગ્ય ચરિત્રમાંઉદ્ધવજીની પેઠે સશંય ન થાય, ત્યારે ઠીક. તે તો ‘કામાદિભિર્વિહિનાયે સાત્વતાઃ ક્ષીણવાસનાઃ’ તે માટે સાત્વિક સેવવા.જે જે વાત જ્ઞાને કરીને થાય તે ઠીક, કેમ જે, ગીતામાં જ્ઞાનીને જ આત્મા કહ્યો છે. મોટાનું જોઇને કોઇ કાંઇ વાદ કરશોમા, તે કહે તેમ કરજો. જેમ અગ્નિ તે જળે ઓલાય, ને વીજળીનો અગ્નિ ને વડવાનળનો અગ્નિ તે જળમાં રહ્યો થકો પણ ન ઓલાય. તે કૃપાનંદસ્વામીએ વાત કરી જે, ‘જળકૂકડી પાણીમાં રહે તોપણ પાંખ ન ભીંજાય, ને બીજા જનાવરને પાણી પાંખમાં ભરાઇ જાય ને ઉડી શકે નહિ, ને જળકાતરણી માછલું જાળમાં આવે નહિ, ને સામું બીજાને જાળ કાપીને કાઢતું જાય’ એમ કૃપાનંદસ્વામી જેવાને થાય. ।।૯૦।।