ઓહો ! એમ ‘સમર્થ થકા જરણા કરવી’ એ બહુ મોટીવાત છે, કેમ જે, કાંઇ ન હોય તેને કહે તો તો ઠીક, પણસર્વે વાત હોય ને કહેશે જે, ‘તમને કાંઇ આવડતું નથી,’ એતો ભગવાન ને એના સાધુથી જ જરણા થાય પણ બીજાથીન થાય. માટે આપણને કાંઇ નથી આવડતું એમ કહે તોપણશું ? ને સર્વ વાત તમમાં જ છે, એમ કહે તોપણ શું ? આમકહ્યે જાતું નહિ રહે ને આમ કહ્યે આવી નહિ જાય; મરનેથોડું કરવું પણ હુંહાટો ન કરવો. અને ઝાઝું કરે તો મહિનોધારણાં-પારણાં કરે, પછી જયારે જ્ઞાન-વોણું ખાવા માંડે,ત્યારે ત્રણ ત્રણ ટાણાં ખાય, એ વાતમાં માલ નહિ. બારેમાસએમને એમ જમવું, નીકર એક કોળિયો ઓછું જમવું, તેસત્વગુણી તપ છે. ને એક મહિનો ઓલ્યું કરે તેમાં પારણાનેદિવસ ધરાઇ રહ્યાં પછી આઠ કોળિયા વધુ ભરવા એ તમોગુણીતપ છે. માટે ‘અતિ સર્વત્ર વર્જયેત્’ તે અતિ ઊંઘવું નહિ, અતિખાવું નહિ, અતિ ભકિત કરવી નહિ, સર્વે સાધારણ જ્ઞાનેકરીને કરવું તો ઝાઝું માને છે. ત્રણ જણ જળમાં બેસી રહેતા,તે લોહી નીકળતું તેને પણ મહારાજ કહેતા જે,‘ધોડા શા સારુકાઢો છો ? એમ મહારાજ વઢતા. માટે હુંહાટો મહારાજનેનથી ગમતો એમ કહ્યું. ।।૯૧।।