બીજું સાધારણ ભકતનું તો ઠીક છે ને જેને ઉત્તમ થાવુંહોય તેને કોઇ પદાર્થમાં જીવ બંધાવા દેવો નહિ ને હેત ન રાખવું,તો નિર્વિઘ્ન ભગવાનના ધામમાં પહોંચાય. અને આ સભા તોઅક્ષરધામની છે. અને ગોલોક, વૈકુંઠના મુકત કસર ટાળવાઆંહીં આવે છે ને અક્ષરધામના મુકત પણ આંહીં ભગવાનભેળા આવે છે ત્યારે કસર ટળે છે. માટે આ તો પુરુષોત્તમભગવાન છે ને તેના સાધુ છે ત્યાં ખબરદાર થઇને મંડવું. કેમજે, તે વાત પછી નહિ મળે. ।।૯૩।।