અને સ્ત્રીનો સંગ કરવો ને કામ ઓછો થાશે ? વધશે.ખાશું ને સ્વાદ ઓછો થાશે ? વધશે. ને હથિયાર બાંધશું નેક્રોધ ઓછો થાશે ? વધશે. તે માટે એનો યોગ ન રાખે તોરહેવાશે. ને શેરડી ઊભી હોય તે જાણીએ થોર ઊભો છે, ત્યારેરહેવાય; નીકર મન તો ચાહે તેમ કરાવે. કડે મન મંકોડી થિયેને કડે કેશરી સિંહ’ એ એમ એકલે ઉપરથી રાખ્યે શું થયું ?એ તો બૂડઠૂંઠાં અંતરમાંથી પણ કાઢવાં. તે ઉપર બોલ્યા જે,‘જેમઉપરથી મોડતાં વૃક્ષ, લાગે પત્ર તેને બીજા લક્ષ ’ એ કહ્યું. ।।૯૬।।