મોરે (આગળ) તો જેમ તીરમાંથી બાણ નીસરે એમ સાધુએ દાખડા કર્યા છે. હવે કાંઇ કરવું નથી; ને હવે તો એનુંફળ દેવું છે. ને વૈરાગ્ય, ધર્મ, આત્મનિષ્ઠા અને ઉપાસના એસર્વે જેમ છે તેમ કહેવું છે, ને જ્ઞાન આપવું છે. કેમ જે, દેહન રહે તો પછી શું થાય ? ને આ કઠોદર થયું હતું, તથા સંવત૧૯૧૯માં મંદવાડ પણ આવ્યો હતો; એ ત્રણે વાર દેહ રહેએવું નહોતું, ને સંવત્ ૧૮૯૬ની સાલમાં કઠોદર થયું હતું તેદિવસની આવરદા તો છે નહિ, ચિરંજીવી જેવું થયું છે, માટેજેમ મહારાજે છેલ્લી વાર આઠ મહિના રાખીને જ્ઞાન આપ્યું,એમ અમારે બાર મહિના રાખીને કથા કરાવવી છે, તેઅચિત્યાનંદ બ્રહ્મચારીવાળા ગ્રંથની કરાવીને ઓણ જ્ઞાનઆપવું છે. ।।૯૭।।