અને કોઇક મોટો માણસ ઘોડાં લઇને આવે તે ન ગમે,તે જાણું જે કયારે જાય ? તે મરને મોતિયા લાવ્યા હોય; તેમાં શું ? કૂતરાનું નામ પણ મોતિયો હોય છે. આવા ગરીબ હરિજન ગમે અને વનમાં પણ પચીસ-પચાસ સાધુ તો જોઇએ, ને માંદો થાઉં ત્યારે પણ ઘી વાળી લાપસી ન ભાવે, માટે –

યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ ।સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે ।।

મોટેરો હોય તે ચાલે તે માર્ગે ચાલવું. મોટેરો હોય તે કરે તેમ થાય, ઘીની હાંડલી હું રાખું તો સહુ રાખે, ને હું જેમ ચડાવી દઉં તેમ ચડી જાય, પણ મારે તો કેવળ પ્રભુ સાંભરે એટલું જ કરવું છે. એમ પોતાનું વતર્ન તથા રીત કહી દેખાડ્યા. ।।૧૨૯।।