સાધુ થઇને ભજન કરવું, સાધુ જેવી કોઇ વાત નથી ને મહારાજ પણ સાધુના સમ ખાય છે. તે જુઓને ! અંબરીષ સાધુ થયા, ત્યાં તો કાંઇ દુઃખ ન આવ્યું. ‘સાધવો દીનવત્સલાઃ’ માટે એ થયે છૂટકો છે. ને ભગવાનનું કામ સાધુ વતે થાય,પછી એ સાધુ ભેળા જ ભગવાનનાં દર્શન થાય છે , એવા મળે પછી શું બાકી રહ્યું ? એવા મળ્યાને કસર રહી જાય છે, એ તો, ‘વૂઠે મેએ કાળ.’ આવા ભગવાન ને સાધુ મળ્યા છે ને કસર ટાળતા નથી.

પથ્થરકી જાતિ હીરા ચિંતામણિ પારસહુ;મોતી પુખરાજ લાલ શાલ ફેર ડારિયે.

એ બોલીને કહ્યું જે, એવા સાધુને પગે લાગી, અનુવૃત્તિમાં રહીને ખોટ ટાળી નાખવી. ।।૧૩૧।।