જે સમે જેવી ભગવાનની મરજી હોય તે સમો વિચારવો,ને તે પ્રમાણે ચાલવું. ને આ સમે જીવ ઉપર દયા કરી તે હવેલીઓ, ગાડાં ને બળદ એવી રીતે છે, તે ભગવાનને બહુ જીવનું કલ્યાણ કરવું છે તે સારુ કરીએ છઈએ, નીકર વગડામાં પચીસ વર્ષ રહ્યા, એક ગોદડીભર રહેવું ને માગી ખાવું એમ રહીએ. જે તે પ્રકારે રાજી કરવા છે, માટે સમો વિચારવો, જેમ કહે તેમ કરવું. ।।૧૩૨।।