પક્ષ ને સ્નેહ તો જનાવર સુધી છે. તે પોતાનાં બચ્ચાંનેજ સેવે ને ધવરાવે છે. એક કણબી ભેંશનું પાડું લઇને આગળ ચાલ્યો જતો હતો, તે ભેંશ એક ગાઉ સાવજ આવ્યો ત્યાં સુધી પાછે પગે ચાલી ગઇ; એમ છે. માટે આપણે તો એ ત્યાગ કરીને ત્રણ ગ્રંથ પ્રમાણે રહેવું, એમાં મહારાજનો રાજીપો છે,માટે એમ વર્તવું. ।।૧૩૫।।