તમો કહો છો જે, ‘કહેજો’ તે હું તો કહું જ. તે સભામાં કહું, નીકર છેલ્લી બાકી ઇતિહાસ કથા કહું, પણ જીવમાંથી ડંખ કાઢી નાખું. માટે સાધુને સેવવાં, ને એનું ઘસાતું ન બોલવું.તે પર મધ્યના અઠ્યાવીશમાં વચનામૃતની વાત વિસ્તારીને કરી.।।૧૩૬।।