એક કડિયે મહારાજની મૂર્તિ કરી, તે સૌ કહે, ‘ભારે કલમ છે.’ ત્યારે સ્વામી કહેઃ ‘હા, એ તો બહુ સારું, પણ મે તો બધુંયે જોયું તેમાં નિષ્કામીપણાની કલમ સૌથી ભારે જણાણી,તે કોઇથી ન રહે, માટે એ રાખવી.’ ।।૧૪૬।।