એમ વાડી કરી છે તે ત્યાં જાવું બહુ ગમે છે; કેમ જે વન, પર્વત, ઝાડી ગમે એ રુચિ. ને આ આટલું બ્રહ્માંડનું કામ કરીએ તે તો આજ્ઞાએ, પણ અનુસંધાન ઓલ્યું . ને આ તો મોટું રાજ છે, તે કોટિક તો સંકલ્પ કરવા પડે, પણ અંતરમાં કાંઇ નહિ, એવો મારો સ્વભાવ છે. માટે સૌને એમ કરવાની રુચિ રાખવી. કરવા માંડે તો થાય; જેમ ભણવા મંડ્યે ભણાય છે, એ આદિક સર્વે ક્રિયા કરે છે તો થાય. આ ગિરનાર જેવડા તરંગ હૈયામાં ઊઠે, તેથી મોટા ડુંગર જેવડા ઊઠે, તે માટે જરાજરા બંધ રાખીને ભગવાન સંભારવા. ।।૧૪૯।।