અને બ્રહ્મચર્ય રાખવાનાં તો છ ઉપાયો છેઃ તેમાં આંખ,કાન, નાક ને મન એ ચાર ચોરી કરી જાય છે, તેની સૂરત રાખીને સાચવવાં; તેમાં આંખને તો બીડી લેવી તેથી ઊપજે જ નહિ, એ મૂળ છે; ને ખાવું ઝાઝું નહિ, ને ઊંઘવું ઝાઝું નહિ એ પણ મૂળ છે. તેમાં ખાવું ને ઊંઘવું તેમાં તો વિષય જ રહ્યાં છે; તે માટે અસંકલ્પાત્ જયેત્ કામં, ધીરે ધીરે સંકલ્પબંધ કરવા માંડી ને ભજન કરવું ને મનનો વિશ્વાસ ન કરવો.તે ઉપર –

ન કુર્યાત્કર્હિચિત્સખ્યં મનસિ હ્યનવસ્થિતે ।યદ્વિશ્રમ્ભાચ્ચિરાચ્ચીણર્ં ચસ્કંદ તપ-રમ્ ।।

નિત્યં દદાતિ કામસ્ય છિદ્રં તમનુયેઽરયઃ ।યોગિનઃ કૃતમૈત્રસ્ય પત્યુર્જાયેવ પુંશ્વ્ચલી ।।

એ શ્લોક બોલીને કહે, આ સર્વ વાત ખપવાળાને કામની છે, જેને કલ્યાણ જોતું હોય તેને આંહીં બીજું શું છે ? બાકીતો અમે બેઠા છઈએ ત્યાં જ ધર્મામૃત લોપાય છે, પછી વાંસેથી તો શું થાશે ? વ્યવહાર કર્યા વિના તો ચાલે નહિ, પણ પાછું વળવું. એમ મહારાજનો ને મોટા સાધુનો સિદ્ધાંત છે. ।।૧૫૩।।