હવે નવરા થયા તે ભૂતના વાંસડાની પેઠે મનને સેવામાં જોડી દેવું ને વિષયમાં સંકોચ કરવો, પણ જો એમ નહિ થાય તો નિયમ નહિ રહે. ને શેર એક ખાવું, સુદ્ધા તો દોઢ શેર ખાવું; પણ બશેર લગી તો ન જ પૂગવું. ને ઝાઝું સૂવું નહિ;કેમ જે, સૂતે સૂતે અન્ન પચીને પછી ઇન્દ્રિયો બળવાન થાય તે માટે સંકોચ રાખવો. ।।૧૫૫।।