ઓહો ! જુઓને પરદેશથી વાતો સાંભળવા આવે છે, અને આંહીંના મેડે ને બીજે બેઠા હોય છે તે શું સમજયા ? ખરેખરો થઇને સાધુમાં વળગે તો કામાદિક શત્રુ બળી જાય ને ભગવાનમાં જોડાય. જેને ખાવા મળતું હોય ને ભગવાનને ન ભજે એ જેવો કોઇ પાપી, અધર્મી, મૂર્ખ કે અણસમજુ નહિ. ઓહો ! આવા મહારાજ મળ્યા ને એવી ખોટ રહી જાય છે એ જેવું શું છે. ।।૧૫૯।।