નાગર ગવૈયા પાસે ‘બતિયાં તેરી શ્યામ સોહાવનિયાં વે’ એ કીર્તન બોલાવીને વાતો કરી. ને કહે જે, આ કલાક લેખે લાગી, બાકી બધી ખાલી ગઇ. તે ઉપર દષ્ટાંત દીધું જે, એક ગામને પાદર પાવળિયામાં આયુષ્ય લખેલ તે કેનુંક મહિનો, કેનુંક બે મહિના, કેનુંક છ મહિના ને કોઇકનું વર્ષ. તે એ ગામમાં એક બ્રાહ્મણ રહેવા જતો હતો, તે એ વાંચીને પાછો વળ્યો.ત્યારે માણસે કહ્યું જે, ‘એમ નથી. આ તો જેણે આ ગામમાં જેટલી ઘડી ભગવાન ભજેલ, ને ભગવાનની કથાવાર્તા  સાભંળેલ, તે બધી ઘડી ભેળી કરીને જેટલી થઇ તેટલી જ આવરદા પાવળિયામાં માંડી છે. કેમ જે, બાકીની તો એળે ગઇ છે.’એમ આપણે પણ એવું છે જે, જેટલી ઘડી ભગવાન સંબંધી થયું એટલી જ ઘડી સાચું છે, ને કામમાં, ક્રોધમાં, લોભાદિકમાં જેમાં જેટલી કસર આંહીં રહેશે, તેટલી કયાંક ટાળ્યા પછી ધામમાં જવાશે. ।।૧૬૨।।