યોગીઓ કદાચ રોષ દ્દષ્ટિથી કામને બાળી નાખેછે, પણ પોતાને બાળતો એવો જે અસહ્ય ક્રોધ તેને બાળી શકતાં નથી. એવો ક્રોધ જેના અંતરમાં પ્રવેશ કરતાં પણ ભય પામતો હોય, તેવા સમર્થ સતપુરુષના મનને કામ તો સ્પર્શી જ કેમ શકે ? માંગરોળમાં મહારાજ મૂળચંદભાઇને ત્યાં જમવા ગયા,તે રસ્તામાં એક કબો વાણિયો વેપારમાં ખોટ ગઇ તેથી ઘેલો થઇ ગયેલ, તે હાટમાં બેઠો બેઠો ત્રાજવામાં ધૂળ ને છાણ ને પાણા ભરી ભરીને તોળે, પછી કહે જે,‘લીઓ સાકર, લીઓ એલચી’ એમ કહે. પછી મહારાજ કહે,‘આ કોણ છે ?’ એટલે હરિજને કહ્યું જે, ‘આ તો કબો ગાંડો છે.’ ત્યારે મહારાજ કહેઃ ‘હું તો જે જીવ ભગવાનને નથી ભજતા, એ બધાય કબા ગાંડાછે એમ જાણું છું.’ ।।૧૭૧।।