ઓહો ! ભાદરવે મહિને કાંઇ મે ’ મોંઘા છે ! તે આમ આવા સંત છે ત્યાં સુધી છે, પણ ત્યાં તો કોઇ સમાગમ કરતું નથી. ને પછી ગૃહસ્થ ને ભેખધારી તે સર્વેને પશ્ચાતાપ થાશે,માટે સમજણવાળા ને વગર સમજણવાળા એ બેયને જે તે પ્રકારે ઉદ્યમ કરીને રોટલાનું કરતે કરતે આ સાધુ પાસે આવવું, ને એમ રોટલાનું કરવું ને વળી આવવું, એમ કરી લેવું. ને જીવ બીજું તો કરે જ છે, તે તેમાં શું ? કોટિ કલ્પ સુધી તપ કરે પણ આ જોગ ન મળે, તે જે ઉપવાસ કરતા હશે તેને તપની ખબર પડતી હશે, એમ કહીને ‘બ્રહ્મવિલાસ’નું (ગુરુનું) અંગ બોલાવ્યું ને કહ્યું જે, આ જોગ બહુ દુર્લભ છે; જીવને શું ખબરપડે ? એમ કહીને પોતાની ગોદડી દેખાડીને કહ્યું જે, આ ગોદડી ઓઢીને બેસી રહીએ, તે ચીંથરે વીંટ્યા રતન છે . ।।૧૭૨।।