એક જણે પૂછ્યું જે, સૌ કરતાં વા’લું શું હશે ? ત્યારે ઉત્તર કર્યો જે, અમને તો દેહ જણાય છે. તે મહારાજે પણ એક સાધુ આગળ કહ્યું કે, ‘જીવને કરોડો પાપના કોઠાર ભર્યા છે.’ એ વાત વિસ્તારે કરીને બોલ્યા જે, ‘તે માટે એ પણ પાપનાં છે; તે ભેળે દેહની એકતા આવી તેમાં જીવ જુદો રહ્યો, તેને બળિયો કરીને ઓની ભેળું રહેવું, પણ ભળવું નહિ; ને કોઇ પદાર્થ કે વિષય રાખવાં નહિ; પછી ત્યાં જઇને ભોં ખોતરવી પડે એ કરતાં અહીં જ છૂટકો કરીએ નહિ ?’ ।।૧૭૫।।