હે પરમહંસો ! શાંતિ તો એક નારાયણના ચરણારવિંદમાંજ છે. તે માટે સામું જોઇ રહેવું. જેમાં નિદ્રા આવવી જોઇએ તેમાં નથી આવતી. આ ટોડાં સારે છે તેમાં નથી આવતી ને જો માળા ફેરવવા બેસે તો બધાયને આવે, પણ ધીરે ધીરે ભગવાનને સંભારતા જાય ને ટોડાં લાવતા જાય તો એમ જ થાય; મરને એક ટોડું ઓછું આવે, પણ એવા સ્વભાવ પાડેલ નહિ. આવાં તો બ્રહ્માડંમાં એક લાખ-કરોડ કારખાના ચાલતાં હશે એમાં શું પાકયું ? આગ્રામાં અઢાર કરોડ રૂપિયાનું એક કબ્રસ્તાનછે, તેણે શું થયું? માટે ભગવાન ભજયામાં સુખછે. ।।૧૮૪।।