આસો વદિ આઠમે વાત કરી જે, ભગવાન નથી ભજતાને બીજા ડોળમાં ભળે છે તેને લંબકર્ણ જેવા કહ્યા, ને ભજે છે તેનાં લક્ષણ કહ્યાં જે, ‘હું બલહારી એ વૈરાગ્યને’ એ બોલ્યાને પછી કહ્યું જે,‘કોઇને હિંમત આવતી હોય તો આ સમો ભગવાન ભજયાનો છે, તે કોઇને હિંમત આવતી હોય તો આ સમે ભગવાન પ્રગટ્યા છે, તે કોઇને હિંમત આવતી હોય તો તે ભેળા એવા સાધુ પણ આવ્યા છે, અને કરવાનું પણ એજ છે. આ તો જીવને ગરજ કયાં છે ?’ એમ કહીને હસ્યા, ‘જુઓને ! લોંઠાઇએ આ સાધુ માળા ફેરવાવે છે, લોંઠાઇએ નિયમ પળાવે છે, લોંઠાઇએ ભગવાન ભજાવે છે નીકર જીવનેતો ગરજ કયાં છે ? તેને તો કાંઇ કરવું જ નથી, તે કરે જનહિ.’ ।।૧૮૫।।