અને આવા સાધુ છે તે પણ એમ દંડ દે છે, તે જેણે ત્યાગે, તપે આદિક સાધને કરીને વશ કર્યા હોય તેથી થાય.આ જીવનું તો કરવું કેવું છે ? તે મહારાજ કહેતા જે, ‘એક ગરાસિયો હતો તે કસુંબા કાઢે ત્યારે લડાઇની ને ધીંગાણાની વાતો કરે ત્યારે ખરાઇ આવે, તે જયારે અફીણ પીએ ત્યારે અને ઊંઘે ત્યારે વળી ઢીલા ઢફ’ અને આપણે પણ જયારે વાતો થાય ત્યારે એમ, ને પછી પાછું કાંઇ નહિ. ।।૧૮૭।।