સંવત્ ૧૯૨૧ના માગશર માસથી મહારાજ પાસે જવાની વૃત્તિ તણાય છે, તે તમને હમણાં તો જણાતું નથી; પણ ભાઇ ! હવે આવો જોગ નહિ રહે. ને મહારાજ ભેળા રહ્યા છે તે પણ વાંસે રોશે; કાં જે, આવી વાત કોણ કરે ? કોઇ કરશે તો સુધી જન્મ-મરણની કરશે. ને આ તો મનના ને ઇન્દ્રિયોના દોષ કહેવા, તેએ કેને એની ખબર હોય ? અને ા દોષ કેણે જોઇને ત્યાગ કર્યા છે ? માટે આવો જાગે નહિ મળે. ।।૧૮૯।।