બાકી ધર્મશાળાનો તાલ, લાકડાં ને પાણામાં કાંઇ નથી,એ બધું કહીએ છઈએ તો નિંદા જેવું કહેવાય છે, પણ આવી વાતો વિના પરભાવને નહિ પમાય. તે શુકજીને દેખીને ગોપીઓએ વસ્ત્ર ન પહેર્યા, ને વ્યાસજીને દેખીને પહેર્યા, કાંજે, એને સ્ત્રી-પુરુષનો ભાવ નહિ. માટે સ્થૂળ, સૂક્ષ્મને કારણએ ત્રણથી તો વારંવાર નોખું જ પડવું. અને એને ભાવનાએ કરીને મૂકયાં ત્યારે પ્રકૃતિ પર્યન્ત આવી ગયું ને તે પર ગુણાતીત એવું સ્વરૂપ થયું, માટે તે વગર કોઇ કાળે છૂટકો નથી.

ત્યજ ધર્મમધમર્ં ચ ઉભે સત્યાનૃતે ત્યજ ।

ઉભે સત્યાનૃતે ત્યકત્વા યેન ત્યજસિ તત્ત્યજ ।।

તે કહ્યું છે જે, અસદ્વાસનાનો ત્યાગ ને સદ્વાસનાનો પણ ત્યાગ કર; તે કર્યું થાય, એ કહ્યું તે પ્રમાણે કરવું. ।।૧૯૧।।