ઓહો ! માણસ બધાં આ થાંભલાના દર્શન કરે છે; પણ કોઇ સાધુનાં નથી કરતાં ને કોટિ વાતની એક વાત છેઃ જે દિવસે ભગવાન અને આવા સાધુને નમશે તે દિવસે જ છૂટકો થવાનો.જે દિવસે અખંડ ભજન કરશે ને જે દિવસે દોષ મૂકશે તે દિવસે જ ભગવાનના ધામમાં રહેવાશે. કરોડ વાતની એ જ એક વાતછે. ।।૧૯૫।।