અને આ ચાલ્યા, આ દેહમાં કાંઇ રહેવાશે ? આ દેહમાંતો નરક ભર્યું છે. જેને સારું ખવરાવો છો ને જો સંબંધીને આપો તો સારું બોલે, બહેનને પણ જો હમણા એક રૂપિયો ન આપ્યો હોય, તો હેતની ખબર પડે; આ બધુ સ્વારથિયું છે. એ આદિક ઘણીક વાતો કહી. ।।૧૯૭।।