અને વળી કહ્યું જે, જો તમે આવ્યા તો દર્શન થયાં. કરોડ જન્મ તપ કરીએ તોપણ આટલી વાતોના જેટલો સમાસ ન થાય, જો વિચાર હોય તો. માટે ભગવાન કે ભગવાનના જન પાસે ગયા વિના છૂટકો થાય નહિ ને જ્ઞાન પણ આવે નહિ. ને સો વર્ષ ભગવાન ભેળા રહીએ તોપણ સાધુ પાસે રહ્યા વિના સમજણ ન આવે. ને કોઇક મહારાજ પાસે આવીને થોડુંક બેસે ત્યાં મહારાજ કહેશે જે,‘મુકતાનંદસ્વામી પાસે જાઓ.’ એમ મોકલતા. પછી સ્વામી વાતો કરતા. તે માટે મોટા સાધુ સેવવા.પછી ભગવાનની પેઠે સેવવા યોગ્ય સાધુનાં લક્ષણ છેલ્લા પ્રકરણના છવ્વીસના વચનામૃતમાં છે તે વાંચો, એમ આજ્ઞા કરીને વંચાવ્યું. ।।૧૯૮।।