પંચ જ્ઞાનઇન્દ્રિયો વશ રાખી હોય, તો એની વાંસે ઓલી પાંચ છે. માટે ઝાઝો પંચવિષયનો જોગ જ થાવા દેવો નહિ ને જોગ થયે પાછું સમુ રહે તેવું નથી. માટે જેટલું અવશ્ય હોય તે કરવું, બાકી પડ્યું મૂકવું ને તેમાં દોષ જોવા એને જ્ઞાની કહ્યો છે. ને કેટલાક તો કાનમાં પૂંમડા ઘાલી મૂકે છે, તે સાંભળવું ઘટે તે ટાણે કાઢી લે ને જોવું ઘટે તે જુએ, પણ પાંચ હાથથી છેટે દષ્ટિ જાય નહિ, એમ જ સૂંઘે નહિ, તેમજ ત્વચાને એક ઓછું પાથરી દેવું પણ વધુ નહિ. તે વિના ન ચાલે તો એકલશૃંગીની પેઠે થાશે, માટે બીતા રહેવું ને પાપ મૂકવાં ને પ્રભુ ભજવા એ સિદ્ધાંત રાખવો. ।।૨૧૭।।