આ તે કાંઇ વાતો છે ? આ તો અમૃત છે ! તે દેવલોકમાં અમૃત પીવા જીવ જાય છે પણ આંહીં પીવા નવરો નહિ, આતો પ્રાપ્તિનોય પાર નહિ, ને જીવમાં ખોટનોય પાર નહિ.ઓહો ! આ શ્રીજીમહારાજ પુરુષોત્તમ ને આ સાધુ એ કોઇ દિવસ આવ્યા નથી ને આવશે પણ નહિ, ને એ પુરુષોત્તમનું દીધું ઐશ્વર્ય બીજા અનંત અવતારાદિક પામ્યા છે, એમાં બધુંય આવી ગયું. ।।૨૨૧।।