મહારાજ કહેઃ ‘વિષયનો સ્પર્શ કરવો જ નહિ, એટલે મન પણ ઇન્દ્રિયો લગણ આવે નહિ, માટે વિષયથી છેટે રહેવું.ને ભગવાન પણ મળવા હતા એવા મળ્યા છે; હવે આવા જોગમાંજો વિષયની આસકિત રહી, તો બહુ ખોટ જાશે. ને મોટા મોટાનો પણ વિષયથી છેટે રહેવાનો જ મત છે.’ ત્યારે કોઇકે કહ્યું જે, ‘વિષય જણાતા નથી’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘ગળ્યું,ખાટું, ખારું, સારું જણાય છે કે નહિ ? એ તો જણાય, પણ જીવને મૂકવું નથી. અરે, ગરજ જ કયાં છે ? જોને ગરજે તો ગધેડા ને પણ બાપ કહે છે. તે આ જીવે હાડકાં, માંસ ને નરક તેમાં જ માલ માન્યો છે; તે રહેશે નહિ.’ ।।૨૨૫।।