પાંચાળ દેશમાં એક ગામ છે, તેમાં એક ચારણ હતો; તે માનને લીધે તેલનો ડગલો પહેરી હોકો પીતે પીતે ઊભો ઊભો બળી મૂઓ. તે સહુ કહેઃ ‘પગે ડામણી દિયો ભાગી જાય નહિ’ એટલે કહેઃ ‘અરે ભાગે શું ?’ હાઉં ! એમ ને એમ બળી મૂઓ. કહો, હવે એમાં થોડું દુઃખ થયું હશે ? એવું જેને દેખાય તેને તો વિષયમાં દુઃખ છે; તે જો વિષય આજ મૂકીએ તો મુકાય એમ છે ને મહીને, બે મહિને ને વર્ષે સો વર્ષેને સો જન્મે પણ જે દિવસ મૂકીએ તે દિવસ મુકાય એમ છે,ને મૂકયા વિના અંતે છૂટકો નથી; માટે કલમ મૂકી છે જે, ‘વિષયાન્વિષવત્ ત્યજ’ તે માટે ખબરદાર થઇ જાવું. ।।૨૨૭।।