પોષ વદિ એકેમ વાત કરી જે, ‘આંહીં તો સંત ભેગા સહજાનંદસ્વામી પોતે વિરાજે છે, પણ કોઇને ખપ નથી.’સદ્ગુરુ શબ્દાતીત પરમ પ્રકાશ હે,જા કે શરણ જાય, અવિદ્યા નાશ હે, દેહ ગેહ મન દામ, ઇસિકું દીજિયે, હરહાં શ્રીરંગ સબ મત સબ જગ, જોય સોય ગુરુ કીજિયે. એ આદિક સાખીઓ બોલીને કહ્યું જે, એવા સદ્ગુરુને સેવે ત્યારે જીવ ચોખ્ખો થાય. તે મળ્યા તો છે પણ જીવ કોઇ સોંપતું નથી ને જીવ સોંપ્યા વિના પણ એકાંતિક ભાવને કયાંથી પમાય ? જીવ સોંપ્યો છે તેટલું થયું છે ને નથી સોંપ્યું તેટલું નથી થયું. ને જયારે સોંપાશે ત્યારે થાશે ને જેણે જેટલો જીવ સોંપ્યો છે તેટલો જણાય છે જે, આટલો આણે સોંપ્યો છે ને આટલો આણે નથી સોંપ્યો. ।।૨૨૮।।